ઉ.મા.શિક્ષક માટેની ટાટ પરીક્ષામાં ૪૧ હજારમાંથી ૧૫ હજાર પાસ થયા
અમદાવાદ, મંગળવાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની ટાટની મેઈન પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે.જેમાં ૪૧ હજાર જેટલા ઉમેદવારો સામે ૧૫ હજાર જેટલા ઉમેદવારો ૬૦ ટકાના પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબ પાસ થયા છે.ધો.૧૧-૧૨માં વિદ્યાર્થીઓને ભણાવવા માંગતા ૬૦ ટકાથી વધુ ઉમેદવારો જ ફેઈલ થઈ ગયા છે.
ધો.૧૧-૧૨માં વિદ્યાર્થીઓને ભણાવવા માંગતા ઉમેદવારોમાંથી ૬૦ ટકાથી વધુ ઉમેદવારો ફેલ થયા
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચત માધ્યમિક શિક્ષક માટેની ટાટ ( | ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) ટેસ્ટની પ્રિલિમ પરીક્ષા ૧૩મી ઓગસ્ટે લેવામા આવી | હતી અને જેમાં ૧૦૩૯૧૯ ઉમેદવારો | બેઠા હતા. આ પરીક્ષામાં ૩પ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબ ૨૦૦માંથી ૭૦ કે તેથી વધુ માર્કસ સાથે અન્ય લાયકાત મુજબ કટ | ઓફ માર્કસ પ્રમાણે ક્વોલિફાઈ થયેલા ૪૩૯૨૯ ઉમેદવારોની મેઈન કસોટી | ૧૭મી સપ્ટેમ્બરના રોજ લેવા આવી હતી. | ૧૦૦-૧૦૦ માર્કસના બે પેપરોની આ પરીક્ષાનું આજે પરિણામ જાહે કરાયુ છે.
૪૧૨૫૦ ઉમેદવારોમાંથી ૬૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબ ભરતીમા ફોર્મ ભરવા માટે ૧૫૨૩૩ ઉમેદવારો લાયક થયા છે. જ્યારે ૨૦૦માંથી ૧૪૦ કે તેથી વધુ ગુણ લાવનારા એટલે કે ૭૦ ટકા મુજબ ૨૫૬૪ અને ૧૬૦ કે તેથી વધુ ગુણ લાવાનારા ૫૯ ઉમેદવારો છે. એટલે કે ૮૦ ટકા કે તેથી વધુ ગુણ લાવાનારા ઉમેદવારો ૬૦થી પણ ઓછા છે. ગુજરાતી માધ્યમમાં ૪૦૨૬૯માંથી ૧૪૮૦૩, અંગ્રેજી માધ્યમમાં ૭૯૨માંથી ૩૧૬ અને હિન્દી માધ્યમમાં ૧૮૯માંથી ૧૧૪ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. ગુજરાતી માધ્યમમાં આ પરિણામ મુજબ હાજર રહેલા | ૫૬ ઉમેદવારોએ ૮૦ ટકા કે તેથી વધુ ગુણ
No comments:
Post a Comment