શૈક્ષિણક સમાચાર તા 18-2-2023

 


રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન માટે સ્વૈચ્છિક ફાળાની રકમ પગારમાથી કપાત કરવા અંગેનો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા વિવાદિત પરિપત્રને આખરે રદ કરવાની ફરજ પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા સંઘના અધિવેશન માટે ફાળો ઉઘરાવવા પરિપત્ર કરાતાં રાજ્યના શિક્ષકોમા ભારે આક્રોશ ફેલાયો હતો.

સંઘના હોદ્દેદારોના કહેવાથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા વિદ્યાસહાયકોના પગારમાંથી રૂ. ૫૦૦ અને પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી રૂ. ૧ હજાર સ્વૈચ્છિક કપાત માટેની દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલી આપી હતી, જે


દરખાસ્ત વિભાગ દ્વારા મંજૂર કરાઈ હતી. શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત મંજૂર કરાયા બાદ શિક્ષકોમાં રોષ ફેલાયો હતો. શિક્ષકોના મત અનુસાર સ્વૈચ્છિક ફળો જ લેવો હોય તો તો શિક્ષકો સિધા જ જે તે એકાઉન્ટમાં પોતાની રીતે નાંખી શકે છે. આ માટે વિભાગ દ્વારા સીધા જ પગારમાંથી કાપવાનો જે નિર્ણય છે તે યોગ્ય નથી. આમ ભારે વિરોધ થતાં પરિપત્ર રદ કરવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન કાર્યક્રમના આયોજન અને ખર્ચ માટે શિક્ષક દીઠ વિદ્યાસહાયકોના પગારમાંથી રૂ. ૫૦૦ અને પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી રૂ. ૧


હજાર સ્વૈચ્છિક ફાળાની ફેબ્રુઆરી કે માર્ચના પગાર બિલમાંથી કપાત કરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આ મંજૂરી રદ કરવા માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાને લેતા શિક્ષણ વિભાગની ૧૦ ફેબ્રુઆરીના પત્રથી પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી સ્વૈચ્છીક ફળાની રકમ કપાત કરવા અંગે આપવામાં આવેલી મંજુરી રદ કરવામાં આવે છે. આ પરિપત્રમાં મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગે હજુએ એવુ રટણ કરે છે કે, અમે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના કહેવાથી પરિપત્ર રદ કરી રહ્યાં છીએ. એનો મતલબ એ થાય છે કે, બાકી ગમે તેટલો વિરોધ થાત તોય અમે ટસનામસ થયા

અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવા માટે આદેશ કરાયો છે.જોકે શિક્ષણ વિભાગના આદેશ છતા વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવામાં ભાવનગર શહેર અને જિલ્લાની ૯૧ માધ્યમિક અનેછે.વાર્ષિક નિરીક્ષણ અહેવાલમાં શાળાના ફાયર ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા આળસ પ્રવર્તી રહી

ભાવનગર મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગત બજેટમાં લાખો રૂપિયા ની ફાળવણી કર્યા બાદ સમગ્ર વર્ષ વિતવા છતાં રાતીપાઈનો ખર્ચ કરાયો નથી, એજ્યુકેટેડ સમિતિ બનાવ્યા બાદ વહીવટમાં થશે તેવી વિદ્યાર્થીઓના વાલીઓને આશા હતી પરંતુ સમિતિની અણઆવડતના લીધે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં ગત વર્ષની રકમ પણ ખર્ચ કર્યા વગરની પડી રહે હતી. વર્ષ ૨૦૨૩ - ૨૪નું રૂપિયા ૧૭૦ કરોડનું બજેટ મંજુર કરાયું હતું.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...